🔥 TRENDING Ambala Leads Haryana in New India Lite... From Haryana Village School to India's... Delhi High Court Denies Bail to Ex-IAS... Raipur Schoolgirls Showcase Rainwater... Chhattisgarh Court Rules Police Custod... Devotees Throng Golden Temple
07 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

આરએસએસ નાં વડા મોહન ભાગવત નું ઝેન ઝેડ આંદોલન વિશે અતિ મહત્વ નું નિવેદન

✍️ Reporter: Mukeshkumar Makwana 🗓 07 Aug 2026, 10:42 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નીટ પેપર લીક મુદ્દે ઝેન જી એ કોકરોચ જનતા પાર્ટી ની આગેવાની હેઠળ આંદોલન શરૂ કર્યુ હતું અને સોનમ વાંગચુકે તથા અન્ય વિદ્યાર્થિઓએ ભુખ હડતાળ કરી હતી.આ આંદોલન 36 દિવસ કરતાં વધારે સમય સુધ

આરએસએસ નાં વડા મોહન ભાગવતે તાજેતર માં દેશ માં થયેલ ઝેન ઝેડ નાં આંદોલન વિશે તેમના સમર્થન માં અતિ મહત્વ નું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે નીટ પેપર લીક મુદ્દે દિલ્હી માં જંતર મંતર ખાતે જે આંદોલન વિદ્યાર્થી ઓએ કર્યું તે સિસ્ટમ સુધારવા માટે જરૂરી હતું આગળ તેમણે જણાવ્યું કે આ આંદોલન થી વિદ્યાર્થીઓ દેશ દ્રોહી થઇ જતાં નથી પરંતુ લોકતંત્ર માં પોતાની વાત રજૂ કરવા માટે આ આંદોલન જરૂરી હતું આ આંદોલન કોઇ નાં વિરોધ માં નહોતું પણ સિસ્ટમ સુધારવા માટે નું હતું આ વાત તેમણે ગુરુવારે 6 ઓગસ્ટે ઝેન જી અને ઝેન આલ્ફા નાં સંવાદ કાર્યક્રમ માં ભાગ લીધો ત્યારે કહી હતી. તેમણે ઝેન જી અને ઝેન આલ્ફા ને વર્તમાન પેઢી કરતાં વધું પ્રમાણિક અને દેશભક્ત ગણાવી હતી અને સેવા ના મૂલ્યો સમજનારી ગણાવી હતી. આગળ તેમણે જણાવ્યું કે હું જો આંખ બંધ કરીને કોઇ ની ઉપર વિશ્વાસ કરવો હોય તો ઝેન જી અને ઝેન આલ્ફા ઉપર કરીશ આમ તેમણે નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થી ઓ નું સમર્થન કરી ઝેન જી અને ઝેન આલ્ફા નાં ખૂબ જ વખાણ કર્યા હતા.
નીટ પેપર લીક મુદ્દે ઝેન જી એ કોકરોચ જનતા પાર્ટી ની આગેવાની હેઠળ આંદોલન શરૂ કર્યુ હતું અને સોનમ વાંગચુકે તથા અન્ય વિદ્યાર્થિઓએ ભુખ હડતાળ કરી હતી.આ આંદોલન 36 દિવસ કરતાં વધારે સમય સુધી ચાલ્યું હતું અને આ આંદોલન માં 20 જુલાઈ નાં રોજ ચલો સંસદ માર્ચ દરમિયાન દિલ્હી પોલીસે બેફામ લાઠી ચાર્જ કર્યો હતો જેમાં અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઘાયલ થયા હતા જેના પડઘા સંપૂર્ણ દેશ માં પડ્યા હતા અને આંદોલન ને વધું વેગ મળ્યો હતો અને આ આંદોલન ના કારણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવાની ફરજ પડી હતી ત્યાબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા મારફતે ઝેન જી સાથે સંવાદ શરૂ કર્યો છે અને હવે આરએસએસ નાં વડા મોહન ભાગવતે પણ ઝેન જી સાથે સંવાદ શરૂ કર્યો છે . અને સરકારે હાલ માં પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે નવા કાયદા ની પણ જોગવાઈ કરી લીધી છે.
📲Get App