🔥 ट्रेंडिंग एकनाथ शिंदे: निर्वाचित प्रतिनिधि जनता... पालघर कॉलेज प्रिंसिपल पर मामला दर्ज अखिलेश यादव ने ब्राह्मणों से किया संपर... उत्तर प्रदेश में 2250 करोड़ की योजना म... सिक्किम में एआई अनुमति प्रणाली शुरू ગુજરાત માટે ગૌરવની ક્ષણ
06 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામે વૃદ્ધાનું તળાવમાં ડૂબી જતાં કરુણ મોત  gariyadhar news
स्थानीय

ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામે વૃદ્ધાનું તળાવમાં ડૂબી જતાં કરુણ મોત gariyadhar news

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 05 अग. 2026, 06:28 PM 👁 30
ગારિયાધાર તાલુકાના ગણેશગઢ ગામે આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આશરે 75 વર્ષીય કોળી સમાજની એક વૃદ્ધા કપડાં ધોવા માટે ગામના તળાવ પર ગયા હતા. આ દરમિયાન અચાનક પગ લપસી જતાં તેઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં જ ગારિયાધાર મામલતદાર શ્રી ભાવેશસિંહ ઝાલા, નાયબ મામલતદાર શ્રી જયેશભાઈ મહેતા, તાલુકા વિકાસ અધિકારી (ઇન્ચાર્જ) શ્રી રમેશભાઈ ધારિયા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી રાજુભાઈ ભટ્ટ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી બટુકભાઈ મકવાણા સહિત વહીવટી તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતું.

તરવૈયાઓની મદદથી તળાવમાં શોધખોળ હાથ ધરી વૃદ્ધાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ પંચનામું સહિતની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહ પરિવારજનોને અંતિમવિધિ માટે સોંપવામાં આવ્યો હતો.

આ દુઃખદ ઘટનાથી ગણેશગઢ ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.h
📲Get App