National
77 માં વન મહોત્સવની માનગઢ હિલ ખાતે ઉજવણી
77 માં વન મહોત્સવની મહીસાગર જિલ્લામાં ઐતિહાસિક માનગઢ હિલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો પોતાના વક્તવ્યમાં મંત્રી શ્રી એ માનનીય વડાપ્રધાનશ્રી ના એક પેડ માં કે નામ કાર્યક્રમ ને જનઅંદોલન બનાવવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વનકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત સખી મંડળોને આર્થિક સહાયના ચેક વિતરીત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષ રથ ને લીલી ચંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું માનનીય મંત્રીશ્રી દ્વારા દરેક નાગરિકોને સાથે મળી હરિત ક્રાંતિમાં પોતાનું યોગદાન આપવા આહવાન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને સંતરામપુર વિભાગ ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ડિંડોર શહેર અનેક મહાનુભાવો તથા વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા