🔥 TRENDING Bernadette Szocs Leads Dempo Goa to Vi... H. Gyan Prakash Named New Chairman of... Manipur Opium Seizure Manipur MP Accused of Escalating Tensi... Wangchuk's Fast Enters 16th Day Molestation Case At NEIGRIHMS
14 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વીર શહીદ કેપ્ટન નિલેશ સોનીના 64મા જન્મદિવસ પર સ્મારકનું લોન્ચિંગ, અમદાવાદ
Local

વીર શહીદ કેપ્ટન નિલેશ સોનીના 64મા જન્મદિવસ પર સ્મારકનું લોન્ચિંગ, અમદાવાદ

✍️ Reporter: Nishit Shah 🗓 13 Jul 2026, 07:02 PM 👁 32

વીર શહીદ કેપ્ટન નિલેશ સોનીના 64 મા જન્મદિવસની ઉજવણીમાં, અમદાવાદમાં સ્મારકનું લૉન્ચિંગ કરવામાં આવ્યું, જેમાં મેયર હિતેશભાઈ બારોટ અને ધારા સભ્ય અમિતભાઈ શાહ હાજર હતા.

13 જુલાઈ 2026 ના રોજ, વીર શહીદ કેપ્ટન નિલેશ સોની, જેઓ આર્ટિલરી રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા, તેમના 64 મા જન્મ દિવસ પર તેમના અમર બલિદાન ને નમન કરી પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં  મેયરશ્રી હિતેશભાઈ બારોટ, માનનીય ધારા સભ્યશ્રી અમિતભાઈ શાહ, એલીસબ્રીજ વિધાનસભા, કોર્પોરેટરશ્રી અને દેશભક્ત નાગરિકોની હાજરી હતી.

સ્મારકનું સ્થળ અંજલી ચાર રસ્તા પાસે, બી આર ટી એસ ડુંગરશીનગર, પાર્થ હોસ્પિટલ, પાલડી, અમદાવાદ હતું.

આ સ્મારક વીર શહીદના સન્માન માટે અને દેશભક્તિ ભાવના જાગૃત કરવા માટે સ્થાપિત કરવામાં આવ્યું છે.
📲Get App