🔥 TRENDING Bihar CM Announces Women's University... Father and Son Jump into Damoh River O... ਹੜਤਾਲ ਤੇ ਜਾਣ ਵਾਲੇ ਮੁਲਾਜ਼ਮਾਂ ਤੇ ਹੋਵੇਗਾ... રક્ષાબંધન નેપાળમાં કૈલાશ માનસરોવરની યાત્રા કરતા... Ajmer Police Warns of Cyber Fraud Targ...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન, 500થી વધુ વૃક્ષોનું રોપણ
Local

હિંમતનગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન, 500થી વધુ વૃક્ષોનું રોપણ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 05 Aug 2026, 05:44 PM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

HNSB College of Management Studies ખાતે 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં 500થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું.

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત HNSB College of Management Studies ખાતે 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત માનનીય રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયકની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મળીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આ તકે પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, શ્રી અશ્વિનભાઈ કોતવાલ, શ્રી મણીભાઈ વાઘેલા, કેળવણી મંડળના પ્રમુખ- મહામંત્રીશ્રીઓ, સાથી ટ્રસ્ટી મિત્રો અને વિદ્યાર્થીઓએ સહભાગી બની વૃક્ષારોપણ કર્યું.

આ અવસરે 500 થી વધુ વૃક્ષોનું રોપણ કરીને હરિયાળા ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવ્યો. માતાના સન્માન સાથે પ્રકૃતિના સંરક્ષણનો આ સંકલ્પ હરિયાળા અને સ્વસ્થ ભવિષ્ય તરફનું મહત્વપૂર્ણ પગલું છે.
📲Get App