स्वास्थ्य
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: 4 વર્ષથી નાના બાળકો માટે કફ અને કોલ્ડ સિરપ પર પ્રતિબંધ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 4 વર્ષથી ઓછી વયના બાળકો માટે શરદી અને ઉધરસની ચોક્કસ દવાઓના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે.
કેન્દ્ર સરકારે બાળકોના સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લીધો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ, હવે 4 વર્ષથી નાના બાળકો માટે શરદી અને ઉધરસની દવાઓમાં વપરાતા 'ક્લોરફેનિરામાઈન મેલેટ' (Chlorpheniramine Maleate) અને 'ફિનાઈલફ્રાઈન હાઈડ્રોક્લોરાઈડ' (Phenylephrine Hydrochloride) ના મિશ્રણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ આદેશના અમલીકરણ સાથે હવે આવી દવાઓનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ કરી શકાશે નહીં. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ દવાઓ 4 વર્ષથી ઓછી વયના બાળકોને આપવી જોખમી સાબિત થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને આ કડક પગલું લેવામાં આવ્યું છે.
વધુમાં, દવા ઉત્પાદકો માટે પણ નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવે તમામ સંબંધિત દવાઓના પેકિંગ પર '4 વર્ષથી નાના બાળકો માટે આ દવાનો ઉપયોગ કરવો નહીં' તેવી ચેતવણી સ્પષ્ટપણે છાપવી ફરજિયાત કરવામાં આવી છે.
આ આદેશના અમલીકરણ સાથે હવે આવી દવાઓનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ કરી શકાશે નહીં. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ દવાઓ 4 વર્ષથી ઓછી વયના બાળકોને આપવી જોખમી સાબિત થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને આ કડક પગલું લેવામાં આવ્યું છે.
વધુમાં, દવા ઉત્પાદકો માટે પણ નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવે તમામ સંબંધિત દવાઓના પેકિંગ પર '4 વર્ષથી નાના બાળકો માટે આ દવાનો ઉપયોગ કરવો નહીં' તેવી ચેતવણી સ્પષ્ટપણે છાપવી ફરજિયાત કરવામાં આવી છે.