🔥 TRENDING Aguada Sand Bar Reopens to Marine Traf... गुजेर समाज ने तेजा जी महाराज की बिदोरी... Madhya Pradesh Says Goodbye to Monsoon Astrologer Karan Sharma Receives Honor... Cine1 Studios Debuts in Tamil Cinema w... Netflix's 'Gandhari' Tops Indian Strea...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણાના રાધનપુર રોડ પર વાણી આઈવીએફ સેન્ટરમાં 33 વર્ષીય રમિલાબેનની મૃત્યુની ઘટના

✍️ Reporter: Hanifbhai mahammadbhai jadav 🗓 17 Sep 2026, 07:58 AM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી વાણી આઈવીએફ સેન્ટર હોસ્પિટલમાં 33 વર્ષીય રમિલાબેન ચાવડાની આઈવીએફ સારવાર દરમિયાન મૃત્યુ થઈ, પરિવારને તબીબો પર બેદરકારીનો આરોપ.

મહેસાણા, ગુજરાત – રાધનપુર રોડ પર આવેલી વાણી આઈવીએફ સેન્ટર હોસ્પિટલમાં 33 વર્ષીય રમિલાબેન ચાવડા (મેઢા આદરજ ગામ, કડી તાલુકા)ની આઈવીએફ સારવાર દરમિયાન મૃત્યુ થઈ, જેના કારણે તબીબી બેદરકારીનો વિવાદ ઊભો થયો છે.

કુટુંબ અનુસાર, રમિલાબેનને સંતાન પ્રાપ્તિ માટે આઈવીએફ સારવાર છેલ્લા એક મહિના થી ચાલી રહી હતી. તાજેતરમાં તેમને હોસ્પિટલમાં બોલાવી ઓપરેશન થિયેટરમાં દાખલ કરવામાં આવ્યા. એનેસ્થેશિયા આપ્યા બાદ તેમની તબિયત બગડી અને તેમને ખાનગી આઈસીયુમાં ખસેડવામાં આવ્યા.

પરિવારજનોનું કહેવું છે કે વાણી આઈવીએફ સેન્ટરના તબીબો અને કર્મચારીઓની બેદરકારીને કારણે તેમની મૃત્યુ થઈ. પરિવારએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને તબીબો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બી ડિવિઝન પોલીસ મથકના અધિકારી મુજબ, હાલ ઘટનાને અકસ્માત તરીકે નોંધવામાં આવી છે. પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. જો તબીબોની બેદરકારી સાબિત થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.
📲Get App