🔥 TRENDING हिसुआ में बैठक की सूचना पर प्रशासन ने... Housing project in Sultanpur National... Haryana Minister says cooperatives wil... Haryana Governor Reaffirms Govt Commit... Heavy Showers Expected in North Bengal... Chhattisgarh to Train 83 Master Traine...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

તરણેતર મેળો 2026: 14 સપ્ટેમ્બરથી શરૂ, લાખોની જનમેદનીની અપેક્ષા

✍️ Reporter: Virendra bhai vyas 🗓 14 Sep 2026, 04:46 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં 14 સપ્ટેમ્બરથી ચાર દિવસ સુધી તરણેતર લોકમેળા 2026 યોજાશે, જેમાં લાખોની જનમેદની અને ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે.

14 સપ્ટેમ્બરથી ચાર દિવસ સુધી થાન તાલુકામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં તરણેતર લોકમેળા 2026 શરૂ થશે, જેનું થીમ ‘સોડમ પુરાતન પાંચાળની’ છે. ઋષિ પંચમીના દિવસે અઢીથી ત્રણ લાખ જેટલી જનમેદની ઉમટી પડવાની અપેક્ષા છે અને વરસાદ વિલન ન બને તો મોટી સંખ્યામાં લોકો મેળાની મજા માણવા પહોંચશે.

મેળાની શરૂઆત ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવના પૂજન સાથે થાય છે, ત્યારબાદ ચોથના દિવસે રાસ, ગરબા, દુહા-છંદ અને લોકનૃત્યો સાથે રંગત જામે છે. ઋષિ પંચમીના દિવસે વહેલી સવારે તરણેતર કુંડ ખાતે ગંગા અવતરણ આરતી યોજાય છે અને પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. કુંડમાં સ્નાન અને પિતૃઓનું તર્પણ કરવાનું પણ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.

તરણેતરનું નામ સ્કંદપુરાણમાં વર્ણવેલી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની કથા પરથી આવ્યું છે. વિષ્ણુએ શિવને પ્રસન્ન કરવા માટે અહીં તપસ્યા કરી અને શિવલિંગની પૂજા દરમિયાન એક કમળ ઓછું પડતાં પોતાનું જમણું નેત્ર કમળ તરીકે અર્પણ કર્યું, જેના કારણે શિવ પ્રગટ થયા અને વિષ્ણુનું નેત્ર પોતાના કપાળ પર ધારણ કર્યું. ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા અને સમય જતાં ‘તરણેતર’ નામ પડ્યું.

મેળામાં ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત ગ્રામીણ ઓલિમ્પિક પણ યોજાશે, જેમાં કબડ્ડી, માટલાદોડ, નાળિયેર ફેંક, નારગોલ જેવી દેશી રમતોમાં વિવિધ જિલ્લાઓના ખેલાડીઓ સ્પર્ધા કરશે. રંગબેરંગી ભરતકામ, આભલાં, મોતી અને ફૂમતા-રૂમાલથી શણગારેલી છત્રીઓ, તેમજ બળદ અને બળદગાડાની શણગારવાની પરંપરા મેળાની શોભા વધારશે.

તરણેતર મેળો માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ ગુજરાતની ઐતિહાસિક, પૌરાણિક અને ભાતીગળ લોકસંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. આવતીકાલથી શરૂ થતી ચાર દિવસીય મેળામાં લાખોની જનમેદની વચ્ચે ‘હાલો માનવીયું તરણેતરના મેળે…’નો નાદ ફરી ગુંજશે.
📲Get App