Education
નવસારી: ધોરણ 10 અને 12 બોર્ડ-2026ની પરીક્ષામાં 100 ટકા પરિણામ મેળવનાર શિક્ષકોનું સન્માન કરાયું
Watch on:
▶️ YouTube
નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ-2026ની પરીક્ષામાં વિવિધ વિષયોમાં સો ટકા પરિણામ મેળવનારા શિક્ષકોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોના સન્માન માટે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ-2026ની જાહેર પરીક્ષામાં જુદા જુદા વિષયમાં સો ટકા પરિણામ પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષમાં અમૂલ્ય યોગદાન આપવા બદલ શાળાના શિક્ષકોને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, નવસારી દ્વારા પ્રશસ્તિપત્ર અર્પણ કરી સત્કારવામાં આવ્યા હતા.
આ સન્માન સમારોહ દરમિયાન શિક્ષકોની મહેનત અને સમર્પણ ભાવની પ્રશંસા કરવામાં આવી હતી. બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને શાળા અને જિલ્લાનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓ પાછળ આ શિક્ષકોનું માર્ગદર્શન મહત્વનું રહ્યું છે, જેને ધ્યાને રાખીને આ સન્માન આપવામાં આવ્યું હતું.
આ ગૌરવપૂર્ણ અવસરે શાળાના આચાર્યશ્રી જીગ્રેશભાઈ ટેલરે સન્માનિત થયેલા તમામ શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવી જ રીતે ઉત્કૃષ્ટ કામગીરી ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ સન્માન સમારોહ દરમિયાન શિક્ષકોની મહેનત અને સમર્પણ ભાવની પ્રશંસા કરવામાં આવી હતી. બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને શાળા અને જિલ્લાનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓ પાછળ આ શિક્ષકોનું માર્ગદર્શન મહત્વનું રહ્યું છે, જેને ધ્યાને રાખીને આ સન્માન આપવામાં આવ્યું હતું.
આ ગૌરવપૂર્ણ અવસરે શાળાના આચાર્યશ્રી જીગ્રેશભાઈ ટેલરે સન્માનિત થયેલા તમામ શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવી જ રીતે ઉત્કૃષ્ટ કામગીરી ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા હતા.