🔥 TRENDING જૂનાગઢમાં બિલ્ડર સામે ધમકી અને ઉઘરાણીન... માંગરોળમાં યાત્રાળુઓની ટ્રાવેલ્સને અકસ... मंच सुद्दी करण प्रकरण को लेकर कांग्रेस... Maharashtra Minister's Chopper Aborts... Akhilesh Yadav Criticizes BJP's Rs 20,... Monsoon Gains Pace In UP
14 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

માંગરોળમાં યાત્રાળુઓની ટ્રાવેલ્સને અકસ્માત, નવ લોકો ઈજાગ્રસ્ત

✍️ Reporter: Sudip Gadhiya 🗓 14 Aug 2026, 12:30 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સોમનાથથી દ્રારકા જતા યાત્રીકોની ટ્રાવેલ્સમાં અકસ્માત સર્જાયો, જેમાં નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બેની હાલત ગંભીર છે.

માંગરોળના હુસેનાબાદ ગામે સોમનાથથી દ્રારકા જતા ઉતર પ્રદેશના યાત્રીકોની ટ્રાવેલ્સને અકસ્માત થયો છે. આ અકસ્માતમાં યાત્રાળુઓની ટ્રાવેલ્સ બંધ પડેલ ટ્રક પાછળ ઘુસી ગઈ, જેના પરિણામે નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ યાત્રાળુઓ જોનપુરના છે અને તેઓ સોમનાથના દર્શન કરી દ્રારકા તરફ જઇ રહ્યા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્તો માટે ૧૦૮ એમ્બ્યુલન્સ અને સ્થાનિક લોકોની મદદથી પ્રથમ સારવાર આપવામાં આવી.

ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યા છે, જેમાં બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક મદદ કરવામાં આવી છે.

સાવધાન રહો, સુરક્ષિત રહો!
​રસ્તા પર હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરો.
​ગાડી ચલાવતી વખતે ફોનનો ઉપયોગ ટાળો.
​હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ અવશ્ય કરો.
​તમારી ગતિ મર્યાદિત રાખો.
​યાદ રાખો: તમારી રાહ ઘરે કોઈ જોઈ રહ્યું છે.
​અકસ્માત ટાળો, જીવન બચાવો.
📲Get App