🔥 TRENDING અમેરિકાના ચેનલ પર ભારતની ભવ્ય પ્રગતિનો... જૂનાગઢમાં બિલ્ડર સામે ધમકી અને ઉઘરાણીન... માંગરોળમાં યાત્રાળુઓની ટ્રાવેલ્સને અકસ... मंच सुद्दी करण प्रकरण को लेकर कांग्रेस... Maharashtra Minister's Chopper Aborts... Akhilesh Yadav Criticizes BJP's Rs 20,...
14 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

માંગરોળમાં ૧૩ ઓગસ્ટે યોજાશે ભવ્ય તિરંગા યાત્રા

✍️ Reporter: Sudip Gadhiya 🗓 13 Aug 2026, 02:14 AM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આગામી ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે માંગરોળમાં 'ભવ્ય તિરંગા યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી ૧૫ ઓગસ્ટના રોજ દેશના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે માંગરોળ ખાતે એક ભવ્ય અને પ્રેરણાદાયી 'ભવ્ય તિરંગા યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં માંગરોળ વહીવટી તંત્ર અને શહેરના નગરજનોના સંયુક્ત ઉપક્રમે ભાગ લેશે.

આ યાત્રા ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬ (ગુરુવાર) ના રોજ સાંજે ૪:૦૦ કલાકે યોજાશે. યાત્રાનો પ્રસ્થાન શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતેથી થશે. ત્યારબાદ, યાત્રા શહેરના મુખ્ય માર્ગો જેમ કે, જેલ રોડ, લીમડા ચોક, જૂનું બસ સ્ટેન્ડ અને બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસેથી પસાર થઈને રામાપીર મંદિર સુધી જશે અને અંતે ફરીથી શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા ખાતે સમાપ્ત થશે.

દેશભક્તિ, એકતા અને ગૌરવના પ્રતીક સમાન આ તિરંગા યાત્રામાં જોડાવા માટે શહેરના તમામ રાષ્ટ્રપ્રેમી નાગરિકોને માંગરોળ વહીવટી તંત્ર દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. 'હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા'ના મંત્ર સાથે માંગરોળના માર્ગો દેશભક્તિના રંગે રંગાઈ જશે.
📲Get App