Food
આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં! ભોજનમાં કાચ, પ્રાર્થના અને પુસ્તકો મુદ્દે વાલીઓમાં રોષ
આનંદ નિકેતન સ્કૂલ વિવાદોમાં, ભોજનમાં કાચના આક્ષેપથી વાલીઓમાં રોષ
અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ ફરી વિવાદના કેન્દ્રમાં આવી છે. શાળામાં વિદ્યાર્થીને આપવામાં આવેલા ભોજનમાંથી કાચનો ટુકડો મળ્યાના આક્ષેપ બાદ વાલીઓએ શાળા પરિસરમાં હોબાળો કર્યો હતો.
વાલીના જણાવ્યા મુજબ, બાળકને પીરસવામાં આવેલા ભોજનમાંથી કાચનો ટુકડો મળ્યો હતો. ત્યારબાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. વાલીનો આક્ષેપ છે કે તબીબી તપાસ માટે કાચનો ટુકડો માંગવામાં આવ્યો હોવા છતાં શાળા પ્રશાસને તે આપવાનો ઇનકાર કર્યો હતો. આ મુદ્દે વાલીઓ અને શાળા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું પણ સામે આવ્યું છે અને પોલીસને પણ સ્થળે પહોંચવું પડ્યું હતું.
આ વિવાદ વચ્ચે વાલીઓએ શાળાની સવારની સર્વધર્મ પ્રાર્થના બંધ કરવાના મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પ્રાર્થના બંધ હોવાનો વાલીઓનો આક્ષેપ છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને ‘મલાલા’ અને ‘ફાસીઝમ’ સંબંધિત પુસ્તકો વાંચવા માટે આપવામાં આવતા હોવાનો પણ વાલીઓએ દાવો કર્યો છે. કેટલાક વાલીઓએ આ પુસ્તકો અંગે વાંધો વ્યક્ત કરીને શાળાની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.
સમગ્ર મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાને કારણદર્શક નોટિસ આપવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. કેટલાક સંગઠનો અને વાલીઓએ તપાસની માંગ સાથે શાળાનું લાઇસન્સ રદ કરવાની પણ માંગ કરી છે.
હવે સમગ્ર મામલે સત્તાવાર તપાસ બાદ જ આક્ષેપોની હકીકત અને જવાબદારી સ્પષ્ટ થશે.
અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ ફરી વિવાદના કેન્દ્રમાં આવી છે. શાળામાં વિદ્યાર્થીને આપવામાં આવેલા ભોજનમાંથી કાચનો ટુકડો મળ્યાના આક્ષેપ બાદ વાલીઓએ શાળા પરિસરમાં હોબાળો કર્યો હતો.
વાલીના જણાવ્યા મુજબ, બાળકને પીરસવામાં આવેલા ભોજનમાંથી કાચનો ટુકડો મળ્યો હતો. ત્યારબાદ બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. વાલીનો આક્ષેપ છે કે તબીબી તપાસ માટે કાચનો ટુકડો માંગવામાં આવ્યો હોવા છતાં શાળા પ્રશાસને તે આપવાનો ઇનકાર કર્યો હતો. આ મુદ્દે વાલીઓ અને શાળા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું પણ સામે આવ્યું છે અને પોલીસને પણ સ્થળે પહોંચવું પડ્યું હતું.
આ વિવાદ વચ્ચે વાલીઓએ શાળાની સવારની સર્વધર્મ પ્રાર્થના બંધ કરવાના મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પ્રાર્થના બંધ હોવાનો વાલીઓનો આક્ષેપ છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને ‘મલાલા’ અને ‘ફાસીઝમ’ સંબંધિત પુસ્તકો વાંચવા માટે આપવામાં આવતા હોવાનો પણ વાલીઓએ દાવો કર્યો છે. કેટલાક વાલીઓએ આ પુસ્તકો અંગે વાંધો વ્યક્ત કરીને શાળાની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.
સમગ્ર મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાને કારણદર્શક નોટિસ આપવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. કેટલાક સંગઠનો અને વાલીઓએ તપાસની માંગ સાથે શાળાનું લાઇસન્સ રદ કરવાની પણ માંગ કરી છે.
હવે સમગ્ર મામલે સત્તાવાર તપાસ બાદ જ આક્ષેપોની હકીકત અને જવાબદારી સ્પષ્ટ થશે.